Rangotsav - 2026 | Salangpurdham | Hariprakashswami | Salangpur Hanumanji Official

Mar 5, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 months ago
Duration0:36
Video IDOzdFE2m4XDQ
Languagegu
CategoryNonprofits & Activism
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views10.6K
Likes673
Comments4
Engagement Rate6.36%
Likes per 100 views6.32
Comments per 1K views0.38

Description

દિવ્ય રંગોત્સવ, ભક્તિ રંગે દાદાના સંગે, દાદાના દરબારમાં રંગોત્સવ પર્વની ભવ્ય ઉજવણી 1.50 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિના રંગે રંગાયા શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શા.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી બનાવડાવામાં આવ્યો હતો. આ વખતે મુખ્યત્વે ચાર રંગો - પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા. આ ઉપરાંત, ઉત્સવમાં 1000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પ.પૂ.શા.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર) સહિત અનેક સંતો અને દેશ દુનિયાથી પધારેલા 1.50 લાખથી વધુ સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા. આજે સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું. આ પછી સંતોને રંગ લાગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હરિપ્રકાશ સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો. જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો. રંગોત્સવના આકર્ષણ :- * હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરાયો. * મંગળા આરતી 5:૩૦ કલાકે અને શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે થઈ. * સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા.. #SalangpurHoli2026 #KashtbhanjanDev #Hanumanji #DivineCelebration #HoliFestival #hariprakashswami #swaminarayan #hanuman 🛑 Like us on Facebook:https://www.facebook.com/hariprakashswamiji/ 🛑 Follow us on Twitter : https://twitter.com/hariprakashdas 🛑 Website : http://www.swaminarayan.world/ 🛑 Follow us on instagram : https://www.instagram.com/hariprakashswami/ 🛑 Follow us on Pinterest : https://in.pinterest.com/hariprakash108/ 🛑 Join In Telegram : https://t.me/salangpurhanuman 🛑 Whats App Number : +91 85111 51711 Also get Hariprakash swami App app on your mobile 🛑 Google Play :- https://play.google.com/store/apps/detailsid=com.disolutions.hariprakashswami 🛑 ITunes :- https://itunes.apple.com/us/app/hariprakashswami

Related Videos

More videos from Swaminarayan Channel